ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

અગત્યની સુચનાઓ

  • ઓનલાઇન એપ્લિકેશન કરતાં પહેલાં ઉમેદવારે GSET ની વેબસાઇટ પર આપેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક સમાચારપત્રો અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝમાં પ્રકાશિત નોટીફીકેશન (જાહેરનામું)નો બરાબર અભ્યાસ કરી લેવો.
  • ઓનલાઇન એપ્લિકેશન કરતાં પહેલાં ઉમેદવારે વેબસાઇટ પર આપેલ પરીક્ષા માટેની પાત્રતાના માપદંડો - "Eligibility Criteria" નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો અને પોતે પરીક્ષા આપવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધારાવે છે તેની ખાતરી કરી લેવી. એપ્લીકેશન ફોર્મ માત્ર Gujarat SET ની વેબસાઇટ http://www.gujaratset.ac.in પરથી ઓનલાઇન જ ભરી શકાશે.
  • GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી(પગલું-૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું (પગલું-૨), બંને ફરજીયાત છે. અન્ય કોઈપણ રીતે કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. GSET એજન્સી દ્વારા એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ (હાર્ડ કોપી)માં પણ સ્વીકારવામાં આવશે નહીં.
  • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ , મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
  • એપ્લિકેશન ફોર્મ, માહિતી પુસ્તિકામાં પ્રસિધ્ધ થયેલ ધારાધોરણો અનુસાર સંપૂર્ણ હોવું જોઇએ. તમામ અધૂરાં / અપૂર્ણ એપ્લિકેશન ફોર્મ રદ કરવામાં આવશે. ઉમેદવારે પોતાના ઓનલાઇન એપ્લિકેશન ફોર્મમાં આપેલ, નામ, સરનામું / સંપર્કની વિગતો, કેટેગરી, વિકલાંગતા, શૈક્ષણિક લાયકાતની વિગતો, જ્ન્મતારીખ, પરિક્ષા કેંદ્ર, વિગેરે.. વિગતો અંતિમ માનવામાં આવશે. રજીસ્ટ્રેશન સમય મર્યાદા પુર્ણ થયા બાદ, આ વિગતોમાં સુધારાની કોઇપણ વિનંતિ/ અરજી GSET એજન્સી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવારના વિષય કે કેટેગરીમાં ફેરફાર અંગેની કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી તથા પરીણામ જાહેર થયા બાદ પણ ઉમેદવારના વિષય કે કેટેગરીમાં ફેરફાર અંગેની કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.
  • ઉમેદવારે ફક્ત એક જ અરજી સબમિટ કરવાની છે. એક કરતા વધુ અરજી એટલે કે ઉમેદવાર દ્વારા સબમિટ કરેલા એક થી વધુ એપ્લિકેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
  • GSET પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. અનુસૂચિત જાતિ (SC)) / અનુસૂચિત જનજાતિ (ST) / શારીરિક વિકલાંગ (PH) / દૃશ્યાત્મક વિકલાંગ (VH) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નોન ક્રિમીલેયર / થર્ડ જેન્ડર / General-EWS, ના ગુજરાત રાજ્યના ઉમેદવારોને ગુજરાત સેટ એજન્સીના નિર્ણય અનુસાર છૂટછાટ આપવામાં આવશે. ગુજરાત રાજ્યના SEBC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી.
  • અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો , એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો, ને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.
  • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, ફી ભર્યાની પાવતી કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહીં.
  • GSET ની પરીક્ષામાં ઉત્તીર્ણ તમામ ઉમેદવારોએ ,એપ્લીકેશન ફોર્મ અને પરીક્ષાની હોલ ટિકીટ સાથે શૈક્ષણીક લાયકાત અને કેટેગરીને લાગતા દસ્તાવેજો, ગુણ પત્રકો, પ્રમાણપત્રો વિગેરે.. ફરજીયાત સાચવવાના રહેશે કે જેથી GSET લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકે નિમણુંક આપતા પહેલાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટી અથવા સરકારી/સંલગ્ન/ખાનગી કોલેજ દ્વારા ફરજીયાત કરવાની થતી GSET પ્રમાણપત્રની ખરાઈ વખતે રજુ કરી શકાય. આથી ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાચવીને રાખવા એ ઉમેદવારના પોતાના હિતમાં છે.
  • અંતિમ તારીખ બાદ ઓનલાઇન એપ્લિકેશન અને પરીક્ષા ફી કોઈપણ સંજોગોમાં ભરી શકાશે નહીં.
  • GSET એજન્સી કોઈપણ સંજોગોમાં ઉમેદવાર દ્વારા દાખલ કરેલી કોઈપણ માહિતીને સંપાદિત / સંશોધિત / બદલી શકતી નથી. તેથી, ઉમેદવારોને અરજી ફોર્મ અને OMR જવાબ પત્રકમાં સાચી વિગતો ભરવા માટે અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. અરજી ફોર્મ અને OMR આન્સરશીટમાં ઉમેદવારોની વિગતોમાં કોઈ વિસંગતતાના કિસ્સામાં, OMR જવાબ પત્રકમાં ભરેલ વિગતોને અંતિમ ગણવામાં આવશે. માહિતીમાં પરિવર્તન માટેની કોઈપણ વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના / તેણીના ઓનલાઇન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે એ એમ સૂચિત નથી થતુ કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે . જો કોઇ કારણસર, કોઇપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત(બિન ઇરાદાર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભુલ સહિત ) જણાશે તો GSET દ્વારા તે ઉમેદવારને અનુત્તિર્ણ ( not-qualified ) જાહેર કરી અને GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે.
  • GSET કોઇપણ કારણ આપ્યા વિના પરીક્ષાનું કેન્દ્ર કે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી શકે છે.
  • ઉમેદવારોએ ખાતરી કરવી આવશ્યક છે કે તેમના ઓનલાઇન એપ્લિકેશન ફોર્મમાં નોંધાયેલ ઇ-મેઇલ તેમનું પોતાનું છે. ઉમેદવારોને GSET પરીક્ષા અંગે નવીનતમ અપડેટ્સ માટે GSET વેબસાઇટની મુલાકાત લેવા અને નિયમિતપણે તેમના ઇ-મેઇલ્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
  • ઉમેદવાર દ્વારા હસ્તલિખિત/ પોસ્ટ / ફેક્સ / ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલ સુધારા અરજીઓ GSET એજન્સી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • જો ભવિષ્યમાં કોઈપણ સમયે જાણવા મળે કે ઉમેદવારે તેના / તેણીના અરજી ફોર્મ / પ્રવેશ કાર્ડમાં અન્ય વ્યક્તિના ફોટોગ્રાફ અને / અથવા અન્યની સહીનો ઉપયોગ / અપલોડ કર્યો છે અથવા તેણે / તેણીએ તેના હોલ ટિકિટ / પરિણામમાં છેડછાડ કરી છે, તો ઉમેદવારના એ કૃત્યો તેના / તેણીના તરફથી કરવમાં આવેલ ગેરવાજબી કાર્ય તરીકે માનવામાં આવશે અને તે / તેણીને માહિતી બુલેટિનની જોગવાઈઓ વિરુધ્ધ કરેલ ગેરવાજબી રસમો કર્યા બદલ તેમની ઉમેદવારી રદ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  • ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ સામાન લઈ જવાની મંજૂરી નથી. GSET એજન્સી પરીક્ષા કેન્દ્રમાંથી ચોરી થયેલી અથવા ખોવાયેલી કોઈપણ ચીજો માટે જવાબદાર રહેશે નહીં.
  • ઉમેદવારોને ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ભૂમિતિ અથવા પેંસિલ બોક્સ, હેન્ડબેગ, પર્સ, કોઈપણ પ્રકારની પેપર / સ્ટેશનરી / ટેક્સ્ચ્યુઅલ સામગ્રી (મુદ્રિત અથવા લેખિત સામગ્રી), ખાણીપીણી(છૂટક અથવા પેકેટ્સ), મોબાઇલ ફોન / ઇઅરફોન / માઇક્રોફોન / પેજર, કેલ્ક્યુલેટર, ડોક્યુપેન, માપપટ્ટી, લોગ કોષ્ટકો, કેમેરા, ટેપ રેકોર્ડર, કેલ્ક્યુલેટરની સુવિધાવાળી ઇલેક્ટ્રોનિક ઘડિયાળો, કોઈપણ ધાતુની વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ / ઉપકરણો પરીક્ષાખંડમાં સાથે લઈ જવાની મંજૂરી નથી.
  • પરીક્ષાખંડમાં ધૂમ્રપાન, ચાવવું ગુટકા, થૂંકવું વગેરે પર પ્રતિબંધ છે.
  • પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડમાં જો કોઈ ઉમેદવાર પાસે આ પ્રકારની કોઈપણ વસ્તુ મળી આવશે તો વસ્તુઓ / સામગ્રી કબજે કરવામાં આવશે તથા તે ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે, પ્રશ્નપત્રો તથા OMR જવાબવહી જપ્ત કરવામાં આવશે તથા તેની ઉમેદવારી રદ ગણવામાં આવશે &અને ભવિષ્યની પરીક્ષા માટે પણ પ્રતિબંધિત &કરવામાં આવશે.
  • પરીક્ષા તારીખના ૭ દિવસ પહેલાં એક્ઝામિનેશન હોલ ટિકિટ GSETની વેબસાઇટ www.gujaratset.ac.in પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. ઉમેદવારે એક્ઝામિનેશન હોલ ટિકિટ ડાઉનલોડ અને પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે. કોઇપણ ઉમેદવારને એક્ઝામિનેશન હોલ ટિકિટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં. જો આપની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં તમારો ફોટોગ્રાફ ઝાંખો કે સારી રીતે ન દેખાતો હોય તો તમારે યોગ્ય જગ્યા પર ફોટો લગાવી તેની ઉપર માન્ય અધિકારીના સહી સિક્કા કરાવી લેવા.
  • એક્ઝામિનેશન હોલ ટિકિટ વગર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં.
  • ઉમેદવારે એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ વિગતો જેમ કે આપનું નામ, વિષય, કેન્દ્ર અંગેની વિગતો વગેરે. બરાબર છપાયેલ છે કે કેમ તેની ખાતરી કરી લેવી. જો કોઇ માહિતી અંગે ભુલ જોવા મળે તો તરત જ Gujarat SET ને ઈમેઈલ: info@gujaratset.ac.in દ્વારા લેખીત જાણ કરવી અને સુધારો કરાવી લેવો. ઉમેદવાર જો તેમ નહીં કરે તો અંગે કોઇપણ સુધારો કરવા તેમજ તેને કારણે ઉમેદવારને કોઇ નુકશાન થાય તો તે માટે GSET એજન્સી જવાબદાર રહેશે નહીં.
  • દરેક ઉમેદવારને તેમની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર / સ્થળ વિષે અગાઉથી બરાબર માહિતી મેળવી લેવા વિનંતી કરવામાં આવે છે. ઉમેદવારની એક્ઝામિનેશન હોલ ટિકિટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર / સ્થળ સિવાયના અન્ય કોઈપણ પરીક્ષા કેન્દ્ર / સ્થળ પર પરીક્ષા આપવા કોઈપણ ઉમેદવારને પરવાનગી આપવામાં આવશે નહીં.
  • ઉમેદવારે પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં એક્ઝામિનેશન હોલ ટિકિટ તથા એક વધારાનું ફોટો ઓળખપત્ર જેમ કે, ઉમેદવાર નું ડ્રાઇવીંગ લાયસન્સ, કોલેજ / યુનિવર્સિટી નું ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ અથવા PAN કાર્ડ વગેરે. પોતાની સાથે રાખવું. GSET એજન્સીએ એક્ઝામિનેશન હૉલ ટિકિટ જારી ન કરેલ હોય તેવા કોઈપણ ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.
  • નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી ઉપરોક્ત કોઈપણ હેતુસર કોઈ ઈમેલ / SMS કોઈપણ ઉમેદવારને મોકલશે નહીં. GSET એજન્સી આ બાબતે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.
  • GSETની પરીક્ષા દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષાના સંતોષકારક આયોજન અર્થે પરીક્ષા કેન્દ્ર / સ્થળના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ઉમેદવારોની સઘન ચકાસણી કરવામાં આવશે. દરેક ઉમેદવારે આ માટે પરીક્ષા શરૂ થવાની ૬૦ મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર / સ્થળ પર હાજર થઈ જવું અને આ ચકાસણીમાં નિરીક્ષકો તથા અન્ય પરીક્ષાકર્મીઓને સહકાર આપવો. પરીક્ષા શરૂ થઈ ગયા બાદ કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ૧૨:૩૦ P.M. પહેલાં કોઈપણ ઉમેદવારને કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડમાંથી બહાર જવા દેવા કે પરીક્ષા કેન્દ્ર / પરીક્ષાખંડ છોડી જવા પરવાનગી આપવામાં આવશે નહીં.
  • દરેક ઉમેદવારે પરીક્ષાખંડમાં નિરીક્ષક દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને નિરીક્ષક કે પરીક્ષાની અન્ય કામગીરી કરી રહેલ પરીક્ષાકર્મી સાથે કોઈપણ પ્રકારની દલીલ કે તકરાર કરવી નહીં. સૂચનાઓનું પાલન ન કરનાર ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે અને તેમનું પરીણામ જાહેર કરવામાં આવશે નહીં.
  • પરીક્ષાખંડમાં પરીક્ષા દરમ્યાન ઉમેદવારે અન્ય ઉમેદવારો સાથે વાતચીત કરવી નહીં કે અન્ય કોઈપણ બાબત અંગે ચર્ચા કરવી નહીં. ઉમેદવારે પરીક્ષા દરમ્યાન પરીક્ષાખંડમાં સંપૂર્ણ શાંતિ જાળવી રાખવી તથા અન્ય ઉમેદવારોને હેરાનગતિ / કનડગત કરવી નહીં. આમ કરનાર ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે એમ ગણવામાં આવશે અને તેમનું પરીણામ જાહેર કરવામાં આવશે નહીં.
  • દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો માટે પેપર - ૧ માટે અલગથી ૨૦ મિનિટનો અને પેપર - ૨ માટે ૪૦ મિનિટનો વધારનો સમય આપવામાં આવશે. દૃશ્યાત્મક દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષામાં લહિયાની(રાઇટર) સુવિધા આપવામાં આવશે. લહિયો(રાઇટર) કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહી હોય. લહિયાની(રાઇટર) સુવિધા લીધી હોય કે ન લીધી હોય, તમામ દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો વધારાના સમયની સુવિધા આપવામાં આવશે. દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો માટે બ્રેઇલમાં પ્રશ્ન પુસ્તિકાઓની કોઈ જોગવાઈ નથી.
  • જાતે પોતાના હાથે ન લખી શકે એવા શારીરિક દિવ્યાંગ ઉમેદવારો (PH - Physically Handicapped ) ઉપર મુજબના લહિયાની સુવિધા મેળવી શકશે પરંતુ વધારાનો સમય મળશે નહીં. વધારાનો સમય કે લહિયાની સુવિધા અન્ય શારીરિક દિવ્યાંગ(PH) ઉમેદવારોને આપવામાં આવશે નહીં.
  • બધી જૂની પરીક્ષાના પ્રશ્નોના પેપર્સ અને તમામ વિષયોના જવાબો GSET વેબસાઇટ www.gujaratset.ac.inપર ઉપલબ્ધ છે.
  • GSET પરીક્ષાનું પરિણામ તૈયાર કરતાં પહેલાં તમામ પ્રશ્નપત્રોની પ્રોવિજનલ આન્સર - કી GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર અપલોડ કરવામાં આવશે. GSETની પરીક્ષા આપેલ હોય એ ઉમેદવારો જ આન્સર - કી ડાઉનલોડ કરી શકશે.
  • ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે પડકાર કરવાની તક આપવામાં આવશે જેના માટે તેમણે પ્રશ્ન દીઠ રૂ.૧૦૦૦/- પ્રોસેસિંગ ચાર્જ તરીકે ચૂકવવાનો રહેશે. ઉમેદવાર આન્સર - કી માટેનો પોતાનો અભિપ્રાય લેખિત સ્વરૂપે યોગ્ય પ્રમાણભૂત પુસ્તકો / સાહિત્ય તથા પ્રશ્ન દીઠ રૂ. ૧૦૦૦/- (પ્રતિ પ્રશ્ન)ના "Member Secretary, GSET" ના નામના વડોદરા દેય ડિમાન્ડ ડ્રાફ્ટ સહિત, મેમ્બર સેક્રેટરી, ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ (GSET), ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, B - બ્લોક, "ચમેલી બાગ", યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ પાસે, પ્રા. સી. સી. મેહતા રોડ રોડ , પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨ ને આન્સર - કી સામે વાંધા અરજી કરવાની નિયત સમય મર્યાદામાં મોકલાવી શકશે. વાંધા અરજીના એન્વેલોપ પર "Grievance Regarding Answer Key(s) of GSET Examination" મથાળું મારવું. ઉમેદવારોએ મોકલેલા અભિપ્રાયોને નિષ્ણાતોની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આન્સર - કી સામેના તમામ વાંધાઓના સ્વીકાર અંગે GSET એજન્સીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મુજબ તૈયાર કરેલ અંતિમ આન્સર - કી ના આધારે GSET પરીક્ષાનું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. પ્રોસેસીંગ ચાર્જની ચુકવણી કર્યા વિના અથવા ઉચિતતા / પુરાવા વિના અને ઉપરોક્ત સૂચિત પ્રક્રિયા સિવાય અન્ય કોઈપણ માધ્યમ પર દાખલ કરાયેલ પડકારોનો જવાબ આપવામાં આવશે નહીં.
  • GSET પરીક્ષાનું પરીણામ જાહેર કર્યા પછી તુરંત તમામ ઉમેદવારોના GSETની પરીક્ષામાં મેળવેલ ગુણ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર અપલોડ કરવામાં આવશે. આ સિવાય કોઇ પણ પાસ કે નાપાસ થનાર ઉમેદવાર ને કોઇપણ પ્રકારનું ગુણપત્રક આપવામાં આવશે નહીં.
  • GSET એજન્સી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને માત્ર ઈ - પ્રમાણપત્ર એનાયત કરશે. કોઇપણ સફળ ઉમેદવારને પ્રમાણપત્રની છપાયેલ / હાર્ડ કૉપિ મોકલવામાં નહીં આવે.
  • GSET 2017 પછી, ગુજરાત SET પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારની ઈ-પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા માટે તેમના ઈ-સર્ટિફિકેટ પર QR- કોડ આપવામાં આવેલ છે. QR-કોડ સ્કેનિંગ આઉટપુટ સત્તાવાર માર્કશીટ નથી, તેથી તે માહિતીનો ઈ-પ્રમાણપત્રની અધિકૃતતા ચકાસવા સિવાય ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે અને તે કોઈપણ પ્રકારના વિશ્લેષણ અથવા મેરિટ માટે અધિકૃત ગણાશે નહીં.
  • GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર - કી સામેનો કોઇપણ વાંધો કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા વિગેરે... માટે કોઇપણ મુસાફરી ભથ્થું આપવામાં આવશે નહીં.
  • ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.
  • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકનની જોગવાઈ નથી.
  • પરીક્ષા આપ્યા પહેલાં કે પછી કોઇપણ પ્રકારની લાગવગ લગાડનાર ઉમેદવારને અયોગ્ય જાહેર કરવામાં આવશે.
  • દરેક બાબતમાં નિર્ણય લેવાની આખરી સત્તા GSET એજન્સી ની રહેશે.
  • માહિતી પુસ્તિકામાં કોઈપણ પ્રિન્ટીંગ/ટાઈપિંગ ભૂલ માટે GSET એજન્સી જવાબદાર રહેશે નહીં. માહિતી પુસ્તિકા તૈયારી કરતી વખતે યોગ્ય કાળજી લેવામાં આવી છે. જો કે, કોઈપણ અજાણતા રહી ગયેલ ભૂલને નકારી શકાય નહીં. GSET એજન્સી પછીના તબક્કે માહિતી પુસ્તિકામાં રહેલ કોઈપણ ભૂલ સુધારવાનો અધિકાર અનામત રાખે છે.
  • આ પરીક્ષા સંદર્ભે કોઇપણ કાયદાકીય વાંધાઓ વડોદરા ન્યાયાલયની સીમામાં જ રહેશે.